લાગણીનાં સંબંધોમાં જયારે સામાજિક વ્યવહાર, બીજાનાં વિચાર અને આત્મકેન્દ્રી આચાર (behavior) પ્રવેશે ત્યારે એ મૂળ સત્વ ગુમાવી દે છે. ફૂલદાનીમાં રાખેલા સાચા ફૂલો અને પ્લાસ્ટિકનાં નકલી ફૂલોનો ભેદ સમજાતો હોય તો, કોની, ક્યાં અને કેટલી દરકાર કરવી જોઈએ એ સમજી ગયા હશો, ખરું ને?